Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

જેસલપોર ગામની સીમમાં સરગવાની સિંગ તોડવા ઝાડ પર ચઢેલા આધેડને કરંટ લાગતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જેસલપોર ગામની સીમમાં ઝાડ પરથી સરગવો તોડવા ચઢેલા આધેડ વ્યક્તિને કરંટ લાવતા મોત થયું હોય રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર રડવીયાભાઇ જુગલાભાઇ વળવી ( ઉ.વ.આ.૬૦)( રહે,જાંગઠી ગામ તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓ જેસલપોર ગામની સીમમાં સુંઢીયુ કાપવા મજુરી કામે આવ્યા હતા જ્યાં બપોરના અરસામાં સરગવાના ઝાડ ઉપર સરગવાની સીંગ પાડવા માટે ઝાડ ઉપર ચઢતા ઝાડ ઉપરથી પસાર થતા વીજ વાયરનો કરંટ લાગતા ઝાડ ઉપર જ તેમનું મોત નિપજ્યું હતું.આ બાબતે તેમના પુત્ર સુનિલભાઈ એ રાજપીપળા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(11:19 pm IST)