Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રાજપીપળા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાંથી નિવૃત્ત સ્વ.શિક્ષકની સેવાપોથી ગુમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલી શિક્ષણાધિકારીની કચેરી માંથી નિવૃત્ત સ્વ.શિક્ષકની સેવાપોથી ગુમ થતા આ બાબતે પોલીસ માં જાણ કરાઈ છે

મળતી માહિતી અનુસાર તાલુકા પંચાયત શિક્ષણ શાખા નાંદોદ હસ્તકની શાળામાં પ્રાથમીક શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઇ ખીમચંદભાઇ ભગતનાઓ તા.૧૬/૧૧/૨૦૧૭ ના રોજ મુત્યુ સહ નિવૃત થયેલ છે જેમના કુટુંબને મુત્યુ સહ નિવુતી બાદના લાભો મેળવવા માટે કચેરીના તમામ કબાટો અને રેકડ ની ચકાસણી કરતા આ કર્મચારીની અસલ સેવા પોથી નહિ મળતા ભગવતી બેન સોલંકી,ઇન્ચાર્જ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી,તાલુકા પંચાયત,નાંદોદ નાઓએ રાજપીપળા પોલીસમાં જાહેરાત આપી છે.

 

(11:21 pm IST)