Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ટીમ ભૂપેન્‍દ્રભાઇની એકતાઃ બસ દ્વારા મંત્રીઓ એકતા નગર રવાના

સામુહિક ચિંતન માટે સામુહિક પ્રવાસ

ગાંધીનગર, તા. ૧૯ :  ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતળત્‍વમાં રાજ્‍ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓએ એસ.ટી.ની વોલ્‍વો બસમાં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્‍થાન કર્યું હતું.

વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદીએ રાજ્‍ય ના પ્રશાસનિક તંત્રને જન સેવા માટે વધુ લોકાભિમુખ  બનાવવાના અભિનવ વિચાર સાથે  તેમના મુખ્‍ય મંત્રી તરીકેના કાર્યકાળમાં ૨૦૦૩થી શરૂ કરેલી ચિંતન શિબિર ની આ ૧૦ મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી પરિસરમાં શરૂ થઈ રહી છે.

આ શિબિરમાં સહભાગી થવા મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિત સૌ મંત્રીઓ  તેમજ મુખ્‍ય સચિવ રાજકુમાર અને રાજ્‍ય સરકાર ના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓના કલેકટર , જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્‍ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહનને બદલે એસ.ટી.ની વોલ્‍વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્‍થળોએ થી રવાના થયા હતા.ગાંધીનગરથી  મંત્રી મંડળ  નિવાસ સંકુલ ના કોમ્‍યુનિટી સેન્‍ટર ખાતે થી મુખ્‍ય મંત્રીશ્રી અને  મંત્રીઓ માટે  એક વોલ્‍વો ઉપરાંત મુખ્‍ય સચિવ  અને અન્‍ય વરિષ્ઠ સચિવો માટે ૪ વોલ્‍વો, ઉત્તર ગુજરાત ના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી  તેમજ મધ્‍ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરત થી તેમજ સૌરાષ્‍ટ્ર  અને કચ્‍છના જિલ્લાઓ માટે રાજકોટ થી એમ સમગ્ર તથા  ૯ વોલ્‍વો બસ મારફતે ૨૧૮   જેટલા લોકો  બપોરે એકતા નગર  પહોંચશે

(4:50 pm IST)