Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રાજ્યમાં કોરોના ખત્મ :છેલ્લા 24 કલાકમાં નવા 11 કેસ નોંધાયા :વધુ 19 દર્દીઓ સ્વસ્થ થયા

અમદાવાદમાં 7 કેસ, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો :રાજ્યમાં એક્ટિવ કેસ 116 થયા : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ

અમદાવાદ:ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો હતો, અને  કોરોનાએ ફરી સ્પીડ પકડી હતી જોકે હવે રોજ બરોજ કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે, આજે વધુ  19 દર્દીઓ સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,80.034 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,જયમાં કુલ મૃત્યુઆંક 11,079 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

   ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 116 થયા છે. જેમાંથી એકપણ દર્દીઓ વેન્ટીલેટર પર નથી, અને 116 દર્દીઓ સ્ટેબલ છે 

  રાજ્યમાં આજે નવા 11 કેસ નોંધાયા છે,આજે સૌથી વધુ અમદાવાદમાં 7 કેસ, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે

 

(7:34 pm IST)