Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

બાબા બાગેશ્વર ભાજપનું માર્કેટિંગ કરે છે :ધર્મના નામે રાજકીય લાભ ખાટવાનું બંધ કરો : શંકરસિંહ વાઘેલા

સુરતના એક કાર્યક્રમમાં હાજર રહેલા શંકરસિંહ વાઘેલાએ બાબા પર પ્રહાર કરીને ચમત્કારના નામે થતાં નાટકો બંધ કરવાની સલાહ આપી

સુરત :ગુજરાતમાં બાબા બાગેશ્વરના ગુજરાત આગમન પહેલા જ રાજકારણ ગરમાયું છે. જેની વચ્ચે હવે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો છે કે બાબા બાગેશ્વર ભાજપનું માર્કેટિંગ કરી રહ્યા છે. ભાજપે ધર્મના નામે રાજકીય લાભ ખાટવાનું બંધ કરવું જોઇએ.

 સુરતના એક કાર્યક્રમમાં હાજર રહેલા શંકરસિંહ વાઘેલાએ બાબા પર પ્રહાર કરીને ચમત્કારના નામે થતાં નાટકો બંધ કરવાની સલાહ આપી છે. તો ભાજપને ધર્મના નામે રાજકીય લાભ ખાટવાનું બંધ કરવાની સલાહ આપી છે.

   
(8:53 pm IST)