Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ભાજપના ઉપસ્થિત ધારાસભ્યોની હિમ્મત નહીં હોય કે કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એની માંગ કરે !

ભાજપ સરકારતાનાશાહીની જેમ વર્તી રહી છે ! એક ચૂંટાયેલા ધારાસભ્યને સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ના આપી ને લોકશાહીની હત્યા કરી: ઈસુદાન ગઢવી

અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરતા લખ્યું છે કે ભાજપ સરકારતાનાશાહીની જેમ વર્તી રહી છે ! એક ચૂંટાયેલા ધારાસભ્યને સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ના આપી ને લોકશાહીની હત્યા કરી છે ! બીજું કે ભાજપના ઉપસ્થિત ધારાસભ્યોની હિમ્મત નહીં હોય કે કૃષ્ણકુમારસિંહજી ને ભારત રત્ન મળે એની માંગ કરે ! એટલે અમે માંગ પણ કરીએ છીએ કે એમને ભારત રત્ન મળે

   
(10:40 pm IST)