Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

2000ની નોટને ચલણમાંથી હટાવવાના નિર્ણય કેવો ? અમદાવાદ અને રાજકોટના લોકોના મિશ્ર પ્રત્યાઘાત

નાના વેપારીઓ પર આડ અસર જોવા મળશે :સરકારે આ પહેલા નોટબંધી કરી હતી, તેનો ખાસ કોઈ ફાયદો નહીં થયો હોવાનું કથન

અમદાવાદ :રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે. 2000ની નોટ પર મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રિઝર્વ બેંક 2000ની નોટને સર્કુલેશનમાંથી પાછી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને

આ બાબત અંગે અમદાવાદ અને રાજકોટમાં મધ્યમ વર્ગીય લોકોની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું ફરીથી લાઈનમાં તો ઊભું જ રેવું પડશે. નાના વેપારીઓ પર આડ અસર જોવા મળશે તેવું પણ કહ્યું. વેપારીઓ કહે છે કે બ્લેક મની અટકાવવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે તો કેટલાક લોકો કહે છે કે સરકારે આ પહેલા નોટબંધી કરી હતી, પરંતુ તેનો ખાસ કોઈ ફાયદો નહીં થયો હોવાનું જણાવ્યુ હતું.

(11:52 pm IST)