Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

અમદાવાદમાં બાબા બાગેશ્વરના આગમનની તડામાર તૈયારી: શક્તિ મેદાનથી ચાણક્યપુરી સુધી પેવર બ્લોક નાખવાની કામગીરીનો પ્રારંભ

શક્તિ મેદાનમાં કોર્પોરેશનની ટીમ દ્વારા સાફ સફાઇ શરૂ કરાઇ:દિવ્ય દરબારને લઇ અલગ અલગ વિભાગ પાડીને સેવકોને જવાબદારી સોંપાઈ

અમદાવાદમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. 29 અને 30 મેના રોજ ચાણક્યપુરીના સેક્ટર 6માં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આયોજકો અને કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શક્તિ મેદાનથી ચાણક્યપુરી સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આયોજકોની સાથે કોર્પોરેશનની ટીમ પણ તૈયારીમાં જોતરાઈ છે. શક્તિ મેદાનમાં કોર્પોરેશનની ટીમ દ્વારા સાફ સફાઇ શરૂ કરાઇ છે. એટલું જ નહીં દિવ્ય દરબારને લઇ અલગ અલગ વિભાગ પાડીને સેવકોને જવાબદારી સોંપવામાં આવી છે.

VIP મહેમાનોને લાવવા લઇ જવા માટે અલગ ટીમ બનાવાઇ છે. તો દર્શનાર્થીઓને માર્ગ બતાવવા અલગથી ટીમ કાર્યરત રહેશે. સાથે સાથે પાર્કિંગ અને મંડપ માટે પણ અલગ ટીમ કામ કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રી જે બંગલામાં રોકાવાના છે તે બંગાલની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

(11:56 pm IST)