Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે થયેલા બદનક્ષીના કેસ: કાલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી

સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં તેમના નિવેદન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો

અમદાવાદ : બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં કાલે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં તેમના નિવેદન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ તપાસના આદેશ આપ્યા છે.

(11:57 pm IST)