Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ભરૂચના વાગરાનાં ગંધાર નજીક સમુદ્ર કિનારે રમતા બાળકો તણાયા : એક જ પરિવારના ત્રણ બાળકો સહિત 6 લોકોના મોત

મુલેર ગામના ગોહિલ પરિવારના લોકો દરિયાકાંઠે ન્હાવા ગયા ત્યારે એક દીકરી ડૂબવા લાગતા પરિવારના અન્ય લોકો તેને બચાવવા દોડ્યા :એક જ પરિવારના પાંચ લોકોના મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ

ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામે દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાગરા તાલુકાના ગંધાર સમુદ્ર કિનારે રમતા બાળકો ભરતી આવતા તણાયા હતા. આ બાળકોને બચાવવા જતા સાત લોકો પણ ભરતીમાં તણાયા હતા. જેમા ત્રણ બાળકો સહિત 6 લોકોના મોત થયા છે.

  તમામ મૃતકો એક જ પરિવારના હોવાનુ સામે આવ્યુ છે. એક પરિવારના 6 લોકોના મોત થયા છે. મુલેર ગામના ગોહિલ પરિવારના લોકો આજે દરિયાકાંઠે ન્હાવા ગયા હતા. ત્યારે એક દીકરી ડૂબવા લાગતા પરિવારના અન્ય લોકો તેને બચાવવા દોડ્યા હતા. જેમા એક બાદ એક તમામ લોકો ડૂબ્યા હતા. જેમા 6 લોકોના ડૂબવાથી મોત થયા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ અને પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. એક જ પરિવારના પાંચ લોકોના મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુછે

(12:05 am IST)