Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અમદાવાદના બે દિવસના કાર્યક્રમમાં ફેરફાર : 29મીએ દિવ્ય દરબાર બાદ 30મીએ પ્રવચન કરશે

આગાઉના કાર્યક્રમ મુજબ બંને દિવસ દિવ્ય દરબાર યોજાવાનો હતો

અમદાવાદ : બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના ત્રણ મોટા શહેરો સુરત, અમદાવાદ અને રાજકોટમાં દિવ્ય દરબારનું આયોજન કરવાના છે. સુરત બાદ અમદાવાદમાં 29 અને 30મે એમ બે દિવસ  ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો કાર્યક્રમ હતો અને આ બે દિવસ દિવ્ય દરબારનું આયોજન હતું. જો કે મળતી માહિતી મુજબ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અમદાવાદના બે દિવસના કાર્યક્રમમાં ફેરફાર થયો છે.

 ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અમદાવાદના બે દિવસના કાર્યક્રમમાં થયેલા ફેરફાર મુજબ 29 મેના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અમદાવાદના શક્તિ મેદાન પણ દિવ્ય દરબાર યોજશે અને 30 મેના રોજ શક્તિ મેદાનમાં જ પ્રવચન કરશે, આ સાથે એમના આશીર્વાદનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આગાઉના કાર્યક્રમ મુજબ બંને દિવસ દિવ્ય દરબાર યોજાવાનો હતો

(12:24 am IST)