Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

સુરત પોલીસનો નવતર અભિગમ :100 નંબર પર ફોન કરનારને ઓછા વ્યાજથી લોન મળે તેવી માહિતી આપશે

વ્યાજખોરોની ચુંગાલમાં લોકો ન ફસાય તેના માટે ઝુંબેશ શરૂ કરાઈ

સુરત શહેર પોલીસ દ્વારા ઉંચા વ્યાજે રુપિયા લેતા લોકોને વ્યાજખોરોથી બચાવવા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. સુરત પોલીસ 100 નંબર પર ફોન કરનારને ઓછા વ્યાજથી લોકોને લોન મળે તેવી માહિતી આપશે. વ્યાજખોરોની ચુંગાલમાં લોકો ન ફસાય તેના માટે ઝુંબેશ શરૂ કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ થકી લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવાનો અભિગમ સરકાર દ્વારા દાખવવામાં આવ્યો છે. સરકારની આ ઝુંબેશમાં સુરત શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે

(11:52 pm IST)