Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

રાજ્યમાં કોરોનાના હાઉ વચ્ચે નવા 3 કેસ પોઝિટિવ નોંધાયા :વધુ 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી :એકપણ દર્દીનું મૃત્યુ નથી :મૃત્યુઆંક 11.045 થયો :કુલ 12.66.574 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 6823 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે વધુ એકપણ દર્દી સ્વસ્થ થયા નથી અત્યાર સુધીમાં કુલ 12,66,574 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી રકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,045 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 6823 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.12.725 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 25 એક્ટિવ કેસ છે.જેમાંથી એક દર્દી વેન્ટિલેટર પર છે ,જયારે 24 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2 કેસ અને બનાસકાંઠામાં 1 કેસ નોંધાયો છે

(7:35 pm IST)