Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

પ્રિટ્ઝર પુરસ્કાર વિજેતા જગવિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ પ્રો. બાલકૃષ્ણભાઈ દોશીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શ્રદ્ધાંજલિ

અમદાવાદ : ગુજરાત અને ભારતમાં સ્થાપત્યોના 'માસ્ટરપીસ' સર્જનાર જગવિખ્યાત આર્કિટેક્ટ પદ્મભૂષણ  પ્રો. બાલકૃષ્ણભાઈ દોશીના નિધનથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રદ્ધાંજલિ અર્પતાં કહ્યું હતું કે, પ્રો.  બાલકૃષ્ણભાઈ દોશીએ સ્થાપત્યના સર્જનની સાથોસાથ આર્કિટેક્ટના વિદ્યાર્થીઓ માટે  અભ્યાસક્રમ તૈયાર કરીને આશીર્વાદરૂપ કામ કર્યું છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં વિશ્વનો સૌથી મહાન એવોર્ડ પ્રિટ્ઝર પુરસ્કાર મેળવનાર બાલકૃષ્ણભાઈ દોશીના નિધનથી ગુજરાત અને આર્કિટેક્ચરના ક્ષેત્રમાં ક્યારેય ન પુરી શકાય એવી ખોટ પડી

(9:02 pm IST)