Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

દાલોદ ગામમાં શ્રી વિઠલાપરા કુળદેવી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદના માંડલ તાલુકાના દાલોદ ગામમાં સમસ્ત વિઠલાપરા પરિવારના કુળદેવી શ્રી મેલડી માતા બહુચર માતા શક્તિ માતા ની જ્યોત લેવા માટે 19 તારીખે સમસ્ત લોકો વિઠલાપુર ગયા હતા. 21 તારીખની રાત્રે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરાયું હતું 22 તારીખે શાસ્ત્રીજી દ્વારા સુંદર બહુચરમાતાના આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 તારીખે વિઠલાપરાના સમસ્ત લોકો ઢોલ નગારા સાથે માંડલ માતાજીની મૂર્તિ લેવા ગયા હતા તે મૂર્તિનું દાલોદ ગામમાં કુવારસીઓ દ્વારા જવેરા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ મૂર્તિમાં પ્રાણ પુરી પ્રમાણ આપી પંચામૃત ઔષધિ જળથી સ્તપન થયું હતું. 24 તારીખે મૂર્તિના યજમાનના હસ્તે પ્રતિષ્ઠા કરી 56 ભોગ ધરાવીને માતાજીની આરતી કરીને  51 યજ્ઞકુંડી યજ્ઞનું સમાપન કરી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પુર્ણાહુતી થઈ હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(3:40 pm IST)