Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

હાઈ સિક્યોરીટીથી સજ્જ અદાણી શાંતિગ્રામમા આવેલા નોર્થપાર્ક બંગલોમાં તસ્કરો ઘુસ્યા : બે બંગલોઝમાં ચોરી

તસ્કરો સીસીટીવીના ડીવીઆર, મોબાઇલ ફોન અને બહાર પાર્ક કરાયેલી બીએમડબલ્યુ કાર સહિત 23.23 લાખની મત્તાની ચોરી ફરાર

અમદાવાદના સૌથી પોશ વિસ્તાર ગણાતા અને હાઈ સિક્યોરીટીથી સજ્જ એવા વૈષ્ણવ દેવી નજીક આવેલા અદાણી શાંતિગ્રામમા આવેલા નોર્થપાર્ક બંગલોમાં તસ્કરો ઘુસી ચોરી કરી ગયા છે. તસ્કરો સીસીટીવીના ડીવીઆર, મોબાઇલ ફોન અને બહાર પાર્ક કરવામા આવેલી બીએમડબલ્યુ કાર સહિત 23.23 લાખની મત્તાની ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અદાણી શાંતિગ્રામમા આવેલા નોર્થપાર્ક બંગલોમાં કૌશલ કૈલાશચંન્દ્ર દલાલ નામના વીમા એજન્ટ પરિવાર સાથે રહે છે. ગત રવિવારે તેમનો પરિવાર ઉપરના માળે સુઈ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સીસીટીવીના ડીવીઆર, મોબાઇલ ફોન અને બહાર પાર્ક કરવામા આવેલી બીએમડબલ્યુ કાર સહિત 23.23 લાખની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાઈ હતી.

આ ઉપરાંત સોસાયટીમા આવેલા સલીંદરપાલસિહ જગદીશસિંહના ઘરમાં પણ ચોરી થઇ હોવાનુ બહાર આવ્યું હતુ. તેમના ઘરમાંથી એક આઇફોન અને બે કારની ચાવી તથા બે મકાનની ચાવીની ચોરી કરી ગઈ હતી. સુરક્ષિત સિક્યુરિટીથી સજ્જ ગણાતી શાંતિગ્રામ અદાણી ટાઉનશીપમાંથી 23.23 લાખની ચોરીની ફરિયાદ થતા પોલોસ પણ અચમબમાં પડી ગઈ હતી.

(6:45 pm IST)