Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રાજપીપળા ખાતે કોંગ્રેસ દ્વારા જનજાગરણ યાત્રા નીકળી, કોંગ્રેસ કાર્યાલય ખાતે સભ્ય નોંધણી કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચન અનુસાર નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ યાત્રા કાઢવામાં આવી અને સરકારની નિષ્ફળતા ને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવી હતી.ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય સબજેલ પાસે સભ્ય નોંધણીનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં વડીલો તથા યુવાનો કોંગ્રેસના સભ્ય બન્યા હતા.

હાલમાં જ પૂર્ણ થયેલ યુથ કોંગ્રેસની ચૂંટણીમાં જીતેલા તમામ સભ્યો જિલ્લા યુથ કોં પ્રમુખ,તાલુકા યુથ કોં પ્રમુખ, જિલ્લા યુથ કોં મંત્રી આમ તમામ યુથ કોંગ્રેસના હોદ્દેદારો ને સન્માનિત કરવામાં આવ્યા હતા
આમ આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પ્રભારી માનસિંગભાઈ ડોડીયા,નર્મદા જિલ્લા પ્રભારી અરવિંદભાઈ દોરાવાલા,નાંદોદ ધારાસભ્ય પીડી વસાવા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશભાઈ વસાવા,નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ  હરેન્દ્રભાઈ વાળંદ,નર્મદા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયંતીભાઈ વસાવા,રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ,મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબેન વસાવાજિલ્લા યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ વાસુદેવભાઈ વસાવા જિલ્લા યુથ કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ,નવ નિયુક્ત જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા અને તેમની યુથ કોંગ્રેસની ટીમ અને નર્મદા જિલ્લા તથા રાજપીપળાના કોંગ્રેસના નાના-મોટા તમામ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(10:14 pm IST)