Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અમદાવાદના બાવળામાં રહેણાંક મકાનની સ્કીમ મૂકી ઓએનજીસીના નિવૃત કર્મચારી સાથે 31.43 લાખની ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:બાવળામાં રહેણાંક મકાનની સ્કિમ મુકીને ઓનજીસીના નિવૃત કર્મચારીઓ સાથે રૃ.૩૧,૪૩,૨૫૦ ની છેતરપિંડી કરનારા રૃચિ નિર્માણ પ્રા.લીના ડિરેક્ટર ભાવેશ ચીનુભાઈ જાનીની ક્રાઈમ બ્રાંચે અટક કરી છે. જ્યારે આસિસ્ટન્ટ ડિરેક્ટર નાનજી ગલસિંગભાઈ બારીયા વિરૃધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સાબરમતીમાં તેજેન્દ્રનગર સોસાયટી વિભાગ-૧માં રહેતા સોહનલાલ .સુથાર(૭૩) એએનજીસીમાં ફરજ બજાવતા હતા અને ૨૦૦૮માં નિવૃત થયા હતા.સાબરમતી ઓએનજીસી કોલોની ખાતે સંજય મેડિકલ સ્ટોર પર તેઓ દવા લેવા જતા હતા ત્યારે તેમની ઓળખાણ સ્ટોર પર આવતા ભાવેશ સી.જાની સાથે થઈ હતી. જાનીએ સોહનલાલની સોસાયટીની પાછળ ગ્રીનવીલે રેસીડેન્સી ફ્લેટની સ્કિમ મુકી હતી. જાની ઈન્ક્મટેક્સ ખાતે રૃચિ નિર્માણ પ્રા.લી નામની ઓફિસ ધરાવે છે.

(5:15 pm IST)