Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

તલોદ તાલુકાના બોરિયા-બેચરાજી નજીક થયેલ ગમખ્વાર અકસ્માતમાં 2 શ્રમજીવી બાઈક સવારે ઘટનાસ્થળેજ દમ તોડ્યા

તલોદ:તાલુકાના બોરીયા-બેચરાજી પંથકના રોડ ઉપર મધ્યરાત્રી આસપાસ થયેલા વાહન અકસ્માતમાં ભારે ઇજાનો ભોગ બનેલા પરપ્રાંતના શ્રમજીવી બાઈક સવારોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જે બંને ફરજના સ્થળ એવા ચાંગોદરથી માદરેવતન રાજસ્થાન તરફ બાઈક ઉપર જઇ રહ્યા હતા ત્યારે બબોરીયા બેચરાજી પંથકમાં એક ભારવાહક ટ્રકની જોરદાર ટક્કરનો ભોગ બન્યાહતા. અકસ્માત કરી ટ્રકનો ચાલક ઘટના સ્થળે ટ્રક છોડી દઇને ભાગી ગયો હતો.

અમદાવાદ મોડાસા રાજ્ય ધોરી માર્ગ ઉપરના તલોદ તાલુકાના બોરીયા બોચરાજી પંથકમાં રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે બનેલા અને જીવલેણ વાહન અકસ્માતની વિગત એવી છે કેરાજસ્થાનના ડુંગરપુરા જિલ્લાના સાગવાડી તાલુકાના મકાણીયા ફલા નવણીયા ગામનો રહીશ રાજુભાઈ ગૌતમભાઈ રેટવા તથા ડુંગરપુર જિલ્લાના આસપુર તાલુકાના પુંજપુર ગામનોરહીશ કૈલાસ શંભુલાલ મીણા નામના બે યુવાનો અમદાવાદ નજીકના ચાંગોદર ખાતેની એક ફેકટરીમાં મજૂરી અર્થે આવી વસ્યા હતા. રાજુ રેટવાના બાઈક ઉપર બંને જણા (રાજુ રેટવા અને કૈલાસ મીણા) ચાંગોદરથી રાજસ્થાન વતન તરફ જવા નીકળ્યા હતા. તેમનું બાઈક તલોદ તાલુકાના બોરીયા પંથકના રોડ ઉપરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે ભારવાહક ટ્રકની જોરદાર ટક્કરનો ભોગ બન્યા હતા. ટ્રકની ચક્કર લાગતાં જ રાજુ અને કૈલાસ બાઈક સાથે જ રોડ ઉપર પટકાઈ પડયા હતા. જ્યાં રાત્રીના અંધકારમાં જ ગમતરીની પળોમાં જ કરૂણ મોતને ભેટયા હતા.

(5:22 pm IST)