Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો ગળેફાંસો ખાઈને આપઘાત

મૃતક કોન્સ્ટેબલની ખેડાથી અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બે મહિના પહેલા બદલી થઈ હતી

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે, બે મહિના પહેલા મૃતક કોન્સ્ટેબલની ખેડાથી અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી

શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિશાલ ડાભીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિશાલ ડાભીએ સેટેલાઈટના પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા શુભ દર્શન એપાર્ટમેન્ટ પોતાના ઘરે આપઘાત કરી લેતા સેટેલાઇટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બે મહિના પહેલા મૃતક કોન્સ્ટેબલની ખેડાથી અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી.

 આપઘાત પછાળનું કારણ જાણી શકાયું નથી. કોન્સ્ટેબલને કયા કારણોસર જીવન ટૂંકાવી લીઘું તેને લઇ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે

(7:33 pm IST)