Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

વલસાડ નગર પાલિકાનો વેરો બાકી હોય તો ભરી દેજો નહીં તો નળ કનેક્શન કપાઇ જશે

નગર પાલિકાની ટીમે બાકી વેરાની વસૂલાત હાથ ધરી:વેરો નહી ભરનારા 5ના નળ કનેક્શન કાપ્યા અને 3 ને જપ્તીની નોટિસ પાઠવી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ નગરપાલિકામાં જેનો વેરો બાકી હોય એવા લોકોના વેરાની વસૂલાત માટે અભિયાન હાથ ધર્યું હતુ. આ અભિયાનમાં તેમણે વેરો નહીં ભરનારા 5 મિકલતદારોના નળ કનેક્શન કાપી નાખ્યા હતા. જેના પગલે વેરો નહી ભરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જૂના અને જાણિતા અધિકારી રમણભાઇ રાઠોડની બદલી થતાં તેમણે 2020ના વર્ષના બાકી વેરાની વસૂલાતનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે ચાર્જ લીધા બાદ બાકીદારોનું લિસ્ટ કાઢ્યું હતુ. જે અંતર્ગત તેમણે ગુરુવારે હાથ ધરેલા અભિયાનમાં કુલ રૂ. 4.45 લાખના વેરાની વસૂલાત કરી હતી. તેમજ વેરો નહીં ભરનારાઓના નળ કનેક્શન કાપવાની શરૂઆત કરી હતી. આ વસૂલાત અભિયાનમાં તેમણે જેનો મોટી રકમનો વેરો બાકી હોય અને વખતો વખતની સૂચના બાદ પણ વેરો ન ભરતા હોય એવા 3 મિલકતદારોને જપ્તીની નોટિસ પણ આપી છે. જેને લઇ બાકીદારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

(8:15 pm IST)