Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

વડોદરાના મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં રસ્તા પર ઢોર મૂકી દેનાર બે પશુ માલિકો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:મકરપુરા જીઆઈડીસી રોડ વિસ્તારમાં ઢોર રખડતા મુકનાર બે પશુ માલિકો સામે ઢોર શાખાા સુપ્રિટેન્ડન્ટે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરમાં જાહેર માર્ગ પર ઢોર રખડતા મુકનાર પશુમાલિકોના કારણે અવારનવાર અકસ્માત થાય છે.  અને કેટલાક કિસ્સામાં તો નિર્દોષ નાગરિકોને જીવ પણ ગુમાવવા પડયા  હોવાના કરૃણ કિસ્સા નોંધાયા છે.

ગત ૧૮મી તારીખે ઢોર શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાંથી  ત્રણ વાછરડી અને ત્રણ ભેંસ પકડવામાં આવી હતી.

જયારે બીજા દિવસે એટલે કે તા.૧૯મીએ પણ ત્રણ ગાય અને ત્રણ ભેંસ આ જ વિસ્તારમાંથી પકડીને ઢોરડબામાં મૂકવામાં આવી હતી. આ તમામ પશુઓના માલિક ધર્મેન્દ્ર નગીનભાઈ પરમાર (રહે. સરોજનગર, વિકાસ વિદ્યાલયની નજીક, જીઆઈડીસી, મકરપુરા) સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(5:13 pm IST)