Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

નર્મદા જિલ્લામાં કોરોના હાહાકાર:ગુરુવારે ૨૭ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૦૯૦ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના કોહિનૂર હોટેલ પાછળ ૦૨,દરબાર રોડ પર ૦૩,જલારામ સોસાયટી માં ૦૧,રામબાગમાં ૦૧, ટેકરા ફળીયા માં ૦૧, રાજેન્દ્રનગર માં ૦૨, કછીયાવાડમાં ૦૧, ભાટવાડામાં ૦૧,રાજપીપળા માં ૦૧ તથા નાંદોદના ગોપાલપુરામાં ૦૪, પ્રતાપનગરમાં ૦૧, નિકોલીમાં ૦૧, ઓરી માં ૦૧, પાટનામાં ૦૧,નવાગામ માં ૦૧,વડિયામાં ૦૨ તથા ગરુડેશ્વરના કેવડીયા કોલોની માં ૦૧ તથા સાગબારામાં ૦૧ , ભીડમાં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૭ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં ૭૩ દર્દી દાખલ છે, આજે ૨૦ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૧૯૭૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૦૯૦ પર પહોચ્યો છે.આજે વધુ ૮૯૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:28 pm IST)