Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વમાં વેપારીઓને કોરોનાનું ગ્રહણ નડયું:ઘરાકીમાં મંદી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હાલમાં કોરોનાના વધતા કેસ અને બજારોમાં લોકોની આવન જાવન ઓછી થતા હોળી ધુળેટીનો પર્વ ફિકો જોવા મળી રહ્યો છે, રાજપીપળા બજારના વેપારીઓ દ્વારા આદિવાસીઓની દિવાળી ગણાતો હોળીના તહેવારમાં ધાણી, ચણા, ખજૂર,કલર પિચકારી સહિતનોનો માલ ખરીદ કર્યો છે પરંતુ બજાર ખાલીખમ જણાતા દુકાનો ખુલ્લી કરી બેઠેલા વેપારીઓ ગ્રાહકોની આતુરતાથી રાહ જોતા નજરે પડી રહ્યા છે ત્યારે આ વર્ષે હોળી-ધુળેટીને કોરોના નડ્યો હોય તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. અને ખરીદ કરેલા જથ્થા ની મુદ્દલ કિંમત પણ વસુલ થશે કે કેમ તેવી ચિંતા વેપારીઓ કરી રહ્યા છે.

(10:57 pm IST)