Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

રાજ્યમાં કોરોના ગાંડોતૂર : રેકોર્ડબ્રેક નવા 2190 કેસ નોંધાયા : વધુ 1422 દર્દીઓ સ્વસ્થ થયા : કોરોનાથી 6 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 4479 થયો : કુલ 2,81,707 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યમાં વધુ 2,29,051 લોકોને રસી અપાઈ : આજે 88,099 ટેસ્ટ કરાયા : મહારાષ્ટ્રથી આવતા તમામ લોકોનો RTPCR ફરજીયાત

રાજ્યમાં આજે સુરતમાં 745 કેસ, અમદાવાદમાં 613 કેસ, વડોદરામાં 187 કેસ, રાજકોટમાં 164 કેસ, જામનગરમાં 47 કેસ, પાટણમાં 45 કેસ, ગાંધીનગર અને ભાવનગરમાં 40 કેસ, મહીસાગર અને નર્મદામાં 25-25 કેસ, અમરેલી, દાહોદ અને કચ્છમાં 20-20 કેસ, ખેડા, મહેસાણા અને મોરબીમાં 19-19 કેસ, સુરેન્દ્રનગરમાં 17 કેસ, આણંદ,અને સાબરકાંઠામાં 15-15 કેસ, ભરૂચ અને પંચમહાલમાં 13-13 કેસ, નવસારીમાં 12 કેસ, વલસાડમાં 10 કેસ નોંધાયા : હાલમાં 10,134 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા 1,000ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 2000ને પાર પહોંચ્યા છે આજે રાજ્યમાં 2190 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 1422 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે

  રાજ્યમાં આજે કોરોનાના નવા 2190 કેસ નોંધાયા છે જયારે વધુ 1422 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,81,707 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 6 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 4479 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 95,07 ટકા  થયો છે

 રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 4 , અમદાવાદ  કોર્પોરેશનમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળીને કુલ 6  દર્દીઓના મોત નિપજ્યા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4479 થયો છે 

    રાજ્યમાં હાલ 10,134 એક્ટિવ  કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10,051 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,81,707 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ  40,89,217 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 6,25,153 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 47,14,370 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતુંઆજે રાજ્યમાં 88,99 ટેસ્ટ કરવામાં આવ્યા છે આ પૈકી 2190 વ્યક્તિઓ પોઝિટિવ આવેલ છે

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 2190 પોઝિટિવ કેસમાં સુરતમાં 745 કેસ, અમદાવાદમાં 613 કેસ, વડોદરામાં 187 કેસ,રાજકોટમાં 164 કેસ,4જામનગરમાં 47 કેસ, પાટણમાં 45 કેસ, ગાંધીનગર અને ભાવનગરમાં 40 કેસ, મહીસાગર અને નર્મદામાં 25-25 કેસ, અમરેલી, દાહોદ અને કચ્છમાં 20-20 કેસ, ખેડા, મહેસાણા અને મોરબીમાં 19-19 કેસ, સુરેન્દ્રનગરમાં 17 કેસ,આણંદ ,અને સાબરકાંઠામાં 15-15 કેસ,ભરૂચ અને પંચમહાલમાં 13-13 કેસ,નવસારીમાં 12 કેસ,વલસાડમાં 10 કેસ  નોંધાયા છે

(7:54 pm IST)