Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોડાસા:અણદાપુર 24 વર્ષીય સગર્ભા પરિણીતાએ 4 વર્ષીય પુત્ર સાથે આગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

માલપુર:તાલુકાના અણદાપુર ગામના એક પરીવારની પરણિતા ગત ગુરૂવારે તેના ઘરેથી પીયર સુવરચાર જવા નીકળી હતી.આ પરણિતા વિભાબેન ઉર્ફે નાનીબેન ને તેના ૪ વર્ષના પુત્રને પણ જોડે લઈ જવા નીકળી હતી. આ સમયે તેમના પતિ મહેન્દ્રભાઈ પરમાર તેમની સાસરી સુવરચાર ગામે કોઈ કામ સારૂ ગયા હતા. પોતાની બહેન ઘરે આવી રહી હોવાથી ભાઈ લાલાભાઈ અને તેમના ઘરે આવેલા તેમના બનેવી મહેન્દ્રભાઈ પણ વિભુબેનની રાહ જોઈ રહયા હતા. પરંતુ ગુરૂવારે ૪ વાગયા સુધી અણદાપુર ગામે નહી આવેલ આ બહેન અને ભાણીયાની શોધખોળ કરાઈ હતી. પરંતુ છેવટે શુક્રવારે સવારે સુરજપુરા ગામની સીમમાં આવેલા એક વૃક્ષ ઉપર થી લટકતી હાલતમાં વિભુબેન અને તેમના પુત્રનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. આ ચકચારી કેસમાં પોલીસ દ્વારા એફએસએલ રીપોર્ટના આધારે તપાસ હાથ ધરાઈ છે. પરંતુ હજુ આ કેસમાં કોઈ મહત્વ ની કડી નહી મળતાં મોતને લઈ રહસ્ય ઘેરાયું છે.

 

(5:29 pm IST)