Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

સુરતમાં બાગેશ્વર બાબાએ યુવકની સમસ્‍યા લખીને સંભળાવીઃ કહ્યું- તારી કેટલી પત્‍નીઓ છે એ પણ જાણું છું !!!

સુરત, તા. ર૩ : બાગેશ્વર ધામના પંડિત ધીરેન્‍દ્ર શાષાી હાલ બે દિવસના સુરત પ્રવાસે છે. જ્‍યાં તેમનો આજે પણ દિવ્‍ય દરબાર યોજાવાનો છે. ગઈકાલે પણ લિંબાયત વિસ્‍તારમાં આવેલા નીલગીરી મેદાનમાં બાગેશ્વર બાબાનો દિવ્‍ય દરબાર યોજાયો હતો. જેમાં વિચિત્ર કિસ્‍સો બન્‍યો હતો. પોતાની પરેશાની લઈને સુરતનો એક યુવક સ્‍ટેજ પર આવ્‍યો હતો અને ધીરેન્‍દ્ર શાષાીએ સ્‍ટેજ પર જ તેના વિશે ખુલાસાઓ કરી નાખતા સાંભળીને તે ચોંકી ઉઠ્‍યો હતો. જેનો વીડિયો હાલમાં સામે આવ્‍યો છે.

વીડિયોમાં સુરતના ભારત પાટીયાનો વિપુલ નામનો યુવક સ્‍ટેજ પર બેઠેલો છે. યુવક પોતાની સમસ્‍યા લઈને આવે છે અને તે બાગેશ્વર બાબાને પોતાની સમસ્‍યા જણાવે તે પહેલા જ બાબા તેને સામેથી એક બાદ એક વસ્‍તુઓ કહેવા લાગે છે. બાદમાં સ્‍ટેજ પર તેઓ કહે છે, ‘તારી કેટલી પત્‍નીઓ છે એ વિશે પણ અમે જાણીએ છીએ. તારા હોટલના ગુણ પણ અમે જાણીએ છીએ.

ત્‍યારબાદ બાબાએ વિપુલને પુછયું કે, તારા પિતા-ભાઇનું અવસાન થઇ ચૂક્‍યું છે. ઘરમાં ઉપદ્રવ અને મનમાં અશાંતિ છે, જે તંત્ર વિદ્યાના કારણે છે. તારા દરિયા કિનારાના કાંડ પણ અમે જાણીએ છીએ. હાલતું ડિપ્રેશનમાં છો અને કેરીઅરની તકલીફ હોવાનું પણ બાબાએ વિપુલને જણાવ્‍યું હતું.

(3:33 pm IST)