Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

વડોદરામાં કરજણ પોલીસે સ્ટેશને નોંધાયેલ ફરિયાદમાં જમાઈ જ નીકળ્યો હત્યારો

વડોદરા: કરજણ પોલીસ મથકે નોંધાયેલ અકસ્માતે મોતના ગુનામાં નવો વળાંક આવ્યો છે. ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર જમાઈએ જ કોઈક કારણોસર બોલાચાલી થતા સાસુના માથામાં લોખંડના સળિયા મારી ઢીમ ઢાળી દીધું હોવાની વિગતો સપાટી પર આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડી 41 (1) (ડી) મુજબ અટકાયત કરી હતી.  વાઘોડિયા ચોકડી ખાતે રહેતા ઇન્દુબેન રમણભાઇ ચૌહાણ ગુમ થયા અંગે પાણીગેટ પોલીસ મથકે નોંધ થઈ હતી.જે બાબતે પાણીગેટ પોલીસ ટીમને માહિતી મળી હતી કે, ઇન્દુબેન ગુમની જાણ કરનાર જમાઈએ જ તેમની સાસુને નર્મદા નદીમાં નાહવા જતી વખતે ધનોરા ગામ ખાતે કોઇક બાબતે બોલાચાલી થતાવિરલભાઇ ઉર્ફે લાલો અરવિંદભાઇ છાપરીયા (હાલ રહે-વાવ ગામ, જી.પંચમહાલ)એ માથામાં સળીયો મારીને મારી નાખેલ છે. જે  આધારે વિરલ છાપરીયાને પોલીસે  ઝડપી પાડ્યો હતો. આરોપીની પરછ કરતા કબુલાત કરી હતી કે, સાસુ ઇન્દુબેનની નારેશ્વર ખાતે નર્મદામા ન્હાવાની માનતા બાકી હતી. જેથી ગત તા-14/04/2023 ના રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના સુમારે આરોપી તેઓની સાસુને લઈને મોપેડ ઉપર વાઘોડીયા ચોકડીથી હાઇવે ઉપર ભરૂચ તરફ જતા હતા. નારેશ્વર તરફ સાસુને તરસ લાગતા મોપેડ ઉભુ રાખ્યું હતું. તે સમયે તેઓના સાસુ પોતાના વિશે જેમ-તેમ બોલતા હોય આરોપીને ગુસ્સો આવતા બાજુમાં પડેલ લોખંડનો સળીયો ઉઠાવીને તેની સાસુના માથાના ભાગે ત્રણથી ચાર સળીયાના ફટકા મારી મોત નિપજાવી દીધું હતું. અને પોતે ડરી જતા ત્યાથી નાસી છૂટ્યો હતો.

(6:10 pm IST)