Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

આંકલાવ તાલુકાના બીલપાડ ગામે આડાસંબંધના વહેમમાં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

આણંદ : આંકલાવ તાલુકાના બીલપાડ ગામની ડાભીયાવગા સીમમાં ગઈકાલ મોડી રાત્રીના સુમારે ખેતરની રખેવાળી કરતા એક યુવકની અન્ય એક શખ્સે પત્ની સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી લાકડાના ડંડા વડે ઢોર માર મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાંખી હોવાના બનાવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. આ બનાવ અંગે આંકલાવ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા શખ્સને આજે સવારે બીલપાડ ગામેથી ઝડપી પાડયો હતો.

આંકલાવ તાલુકાના બીલપાડ ગામે પડઘા સીમ વિસ્તારમાં રહેતા ગણપતભાઈ મગનભાઈ પઢીયાર ખેતીકામ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. બીલપાડની ડાભીયાવગા સીમમાં તેઓનું ખેતર આવેલું છે. તેમના ખેતરની નજીકમાં મહેશભાઈ મગનભાઈ પઢીયારનું ખેતર છે જે તેમના ભાણા ભરતભાઈ મોહનભાઈ પઢીયાર ખેડે છે. ગઈકાલ સાંજના સુમારે ગણપતભાઈ પઢીયાર ખેતરમાં રખેવાળુ કરવા ગયા હતા. જો કે બાદમાં મોડી રાત સુધી તેઓ ઘરે પરત ફર્યા ન હતા. દરમ્યાન આજે સવારના સુમારે તેમના મોટાભાઈ ખેતરમાં જતા ગણપતભાઈ ખેતરના શેઢા નજીક મુકેલી ખાટલાની બાજુમાં જમીન પર પડેલ નજરે પડયા હતા. જેથી આસપાસના સ્થાનિકોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તપાસ કરતા ગણપતભાઈને શરીરે ગંભીર ઈજાઓ  પહોંચી હોવાથી મરણ ગયેલ હોવાનું જણાયું હતું. જે અંગે વધુ તપાસ કરતા ગઈકાલ રાત્રીના સુમારે ગણપતભાઈ ભરતભાઈ પઢીયારના ઘરે જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા હોવાનું અને આડા સંબંધના વહેમમાં ભરતભાઈ અને ગણપતભાઈ વચ્ચે ઝઘડો થતા ભરતભાઈએ ગણપતભાઈને ઘરે જમવા બોલાવડાવી લાકડાના ડંડા તથા બોથડ પદાર્થ વડે માર મારી હત્યા કરી નાંખી હોવાનું ખુલવા પામ્યું હતું. 

(6:13 pm IST)