Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

અમદાવાદના ચાણક્યપુરીમાં બાબાનો દરબાર નહીં યોજાઈ : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ઓગણજના મેદાનમાં યોજાશે.

દરબારને લઈને ચાલી રહેલા તમામ વિવાદોનો હવે અંત આવ્યો: ઓગણજ મેદાનમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પણ યોજાયો હતો

અમદાવાદના ચાણક્યપુરીમાં બાબા બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઈને ચાલી રહેલા તમામ વિવાદોનો હવે અંત આવ્યો છે. ચાણક્યપુરીમાં બાબાનો દરબાર નહીં યોજાય. સભાના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમા બાબાનો દરબાર હવે ઓગણજના મેદાનમાં યોજાશે. ઓગણજ મેદાનમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પણ યોજાયો હતો

   
(9:39 pm IST)