Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

રાજપીપળા કરજણ પુલ પર ટ્રક માં બસ ઘુસી જતા 30 મુસાફરો ને ઇજા : બેમુસાફરોની ગંભીર હાલત

એસટી બસ છોટાઉદેપુરથી સુરત જતા રાજપીપળા પાસે થયો અકસ્માત:તમામ ઇજાગ્રસ્તોને રાજપીપળા સિવિલમાં લઈ જવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાનાં પ્રવેશ દ્વારા પર આવેલા કરજણ નદી પરના પૂલ ઉપર એસટી બસનાં ચાલકે ઉભેલી ટ્રકમાં પોતાની બસ અથાડતા બસમાં બેઠેલા મુસાફરોને ઈજાઓ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા
     મળતી માહિતી મુજબ શનિવારે બપોરે રાજપીપળા કરજણ પુલ પર બનેલી ઘટનામાં છોટાઉદેપુરથી સુરત જઇ રહેલી એસટી બસ વાયા રાજપીપળા થઈને જતી હોવાથી રાજપીપળાનાં પ્રવેશ દ્વારા પર આવેલા કરજણ નદી નાં બ્રિજ ઉપર ઊભી રહેલી એક ટ્રકમાં બસનાં ચાલકે પોતાના કબજાની બસ ઘુસાડી દેતા બસમાં બેસેલા 30 જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં 28 મુસાફરોની સારવાર કરવામાં આવી છે જ્યારે બે ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરા વધુ સારવાર અર્થે રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:29 pm IST)