Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

રાજ્યમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરાશે : સરકારી કર્મચારીઓની તમામ સમસ્યા દુર થશે: કેજરીવાલ

 આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જામનગરમાં જનસભાનું સંબોધન કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા:જૂની પેંશન યોજના લાગુ કરવા ખાતરી આપી

અમદાવાદ : દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જામનગરમાં જનસભાનું સંબોધન કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપને AAP થી ડર લાગી રહ્યો છે. તો ગુજરાતમાં AAP ની સરકાર બની રહી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો . વધુમાં વાયદાઓ આપતા કહ્યું કે, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવશે. સરકારી કર્મચારીઓની તમામ સમસ્યા દુર થશે. તો અમારી સરકાર આવતા જુની પેન્શન યોજના લાગુ કરવાની પણ તેમણે ખતારી આપી છે.

(7:02 pm IST)