Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

નવાવાઘપુરા ગામમા સાવકી દીકરી બાબતે બોલાચાલી થતા પાવડા વડે માર મારતા 3 વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના નવા વાઘપુરા ગામમાં સાવકી દીકરી બાબતે બોલાચાલી થતા પાવડા વડે માર મારતા ત્રણ વિરુદ્ધ ફરીયાદ થઈ છે.

મળતી માહિતી અનુસાર તા.25 ડિસેમ્બરે બપોરે 1.30 કલાકે નવવાઘપુર ગામમાં બનેલી ઘટના બાબતે રાજુભાઇ મગનભાઇ જોગી(રહે,નવારામપુરા તા.નાંદોદ જી.નર્મદા)એ આપેલી ફરીયાદ પ્રમાણે તેમની પહેલી પત્નીની છોકરી તેના દાદા-દાદી સાથે સાકરીયા તા.ઝઘડીયા જી.ભરૂચ ખાતે રહેતી હોય પરંતુ તા.૨૪/૧૨/૨૦૨૧ના રોજ રાકેશભાઇ શનાભાઇ જોગી (૨) રાજેશભાઇ શનાભાઇ જોગી તથા (૩) મંગીબેન ભયલાલભાઇ જોગી(તમામ રહે,સાકરીયા તા.ઝગડીયા જી.ભરૂચ) સાથે બોલાચાલી થતા તેમના ઘરે છોકરી રહેવા માટે આવેલ ત્યારબાદ આ ત્રણેય એ જણાવેલ કે અમે છોકરીને લેવા માટે આવીએ છીએ જેથી રાજુભાઇ અને છોકરી તથા છોકરો તેમના બહેનના ઘરે નવાવાઘપુરા ગામ ખાતે ગયેલ અને આ ત્રણેય નવાવાઘપુરા ગામ ખાતે આવીને છોકરીને કહેવા લાગેલ તુ અહીયા કેમ આવેલ છે અને કોને પુછીને આવેલ છે તેમ કહી ગાળો બોલવા લાગેલ જેથી રાજુભાઈએ જણાવેલ કે તમારે જે કહેવુ હોઈ તે મને કહો તેમ જણાવતા રાકેશ જોગી એકદમ ઉશ્કેરાઈ ઝપાઝપી કરી ઢીકા-પાટુનો માર મારવા લાગેલ ત્યારબાદ રાકેશે બાજુમાં પડેલ પાવડાના હાથા વડે સાહેદને મારી ઈજા કરી માં-બેન સમાણી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:04 pm IST)