Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

બાજપાઈજીના જન્મ દિન નિમિત્તે રાજપીપળા સંજીવની ક્લિનિક ખાતે કેમ્પ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતીય રાજનીતિના શિખર પુરુષ, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન,અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી પર રાજપીપળા શહેર ડોક્ટર સેલના કન્વીનર ડોક્ટર અજય ઠાકોર સંજીવની ક્લિનિક ખાતે 251 લોકોને ડાયાબિટીસ તથા બ્લડ પ્રેસર ફ્રી કેમ્પનું આયોજન કર્યું હતું ત્યારબાદ અટલબિહારી બાજપાઈ ના જન્મદિવસે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યાં રાજપીપળા શહેરના ડોક્ટર સેલના કન્વીનર ડોક્ટર અજયભાઈ ઠાકોર નર્મદા જિલ્લાના  પંકજભાઈ વ્યાસ તથા રાજપીપળા શહેરના મહામંત્રી રાજેન્દ્ર પટેલ તથા અજીતભાઈ પરીખ કમલેશભાઈ પટેલ વિપુલભાઈ માછી નીલત ભટ્ટ ભુપેન્દ્રભાઈ કાછિયા જીતુભાઈ ભાટીયા તથા રાજપીપળા શહેરના કાર્યકરો હાજર રહ્યા હતા.

(10:13 pm IST)