Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્માજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા રાજકોટ ખાતે બે દિવસ દરમ્યાન સંગઠનના કાર્યક્રમોમાં જોડાશે.

કોંગ્રેસ પક્ષના સ્થાપના દિન નિમિત્તે રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ: કોંગ્રેસપક્ષના સ્થાપના દિન નિમિત્તે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ: હેમુ ગઢવી ઓડિટોરિયમ રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા મોક એસેમ્બલીનો કાર્યક્રમ યોજાશે

અમદાવાદ :આઝાદી સંગ્રામમાં જનઆંદોલનથી જન્મેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૭માં સ્થાપના દિન નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો અંગે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આઝાદીના જંગમાં જ્ઞાતિ - જાતિ - કોમ - ધર્મ - પ્રાંત - ભાષા તમામથી ઉપર ઉઠીને પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, સરોજીની નાયડુ સહિત અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય વિરોએ લડાઈ લડીને આઝાદ ભારતનું નિર્માણ કર્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઈતિહાસ અને આઝાદીનો ઈતિહાસ મોટા ભાગે એક છે. અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા, સ્વતંત્રતાથી દેશનિર્માણ, દેશનિર્માણ થી આધુનિક ભારતની દિશા આપનાર ભારતની વિવિધતામાં એકતાના સિધ્ધાંત રાખીને દેશને અખંડિત રાખનાર, ખુમારીનો વારસો ત્યાગ અને બલિદાન આપનાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૭માં સ્થાપના દિન નિમિત્તે સર્વે ભારતીઓને ખુબ ખુબ શુભકામના છે. આપણને સૌને ગૌરવ છે કે આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૈનિક છીએ.

કોંગ્રેસના ૧૩૭માં સ્થાપના દિન અને સેવાદળના ૯૯માં સ્થાપના દિન નિમિત્તે રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસના ઢેબર રોડ સ્થિત કાર્યાલય ખાતે સવારે ૯-૦૦ કલાકે યોજાશે. ત્યારબાદ 10:45 કલાકે હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે વિધાનસભાની મોક એસેમ્બલીનો કાર્યક્રમ યોજાશે. સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓની ચિંતન બેઠક નાગર બોર્ડીંગ ખાતે સવારે 11:00 કલાકે અમરેલી જિલ્લા કોંગ્રેસ, 12:00 જામનગર કોંગ્રેસ, બપોરે 1:00 કલાકે ભાવનગર કોંગ્રેસ, બપોરે 3:00 દેવભૂમિ દ્વારકા કોંગ્રેસ, બપોરે 4:00 કલાકે પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસ જ્યારે સાંજે 5:00 કલાકે રાજકોટ જિલ્લાની યોજાશે.
તા. ૨૯મી બુધવારે સવારે 11:00 કલાકે નાગર બોર્ડીંગ ખાતે શહેર કોંગ્રેસની ચિંતન બેઠક, બપોરે 12:00 કલાકે મોરબી કોંગ્રેસ બપોરે 1:00 કલાકે સુરેન્દ્રનગર કોંગ્રેસ, બપોરે 3:00 કલાકે કચ્છ કોંગ્રેસ અને સાંજે 4:00 કલાકે બોટાદ કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક યોજાશે.
આવતી કાલે તા.૨૮-૧૨-૨૦૨૧ કોંગ્રેસ સ્થાપના દિવસ અને સેવાદળનો સ્થાપના દિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે સવારે ૯:૩૦ વાગ્યે  પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.
તારીખ- ૨૮-૧૨-૨૦૨૧, મંગળવાર.
સમય- સવારે ૯:૩૦ વાગ્યે
સ્થળ- રાજીવ ગાંધી ભવન, પાલડી, અમદાવાદ ખાતે યોજાશે તેમ ડૉ. મનિષ એમ. દોશી
મુખ્ય પ્રવક્તાની યાદીમાં જણાવાયું છે

(9:02 pm IST)