Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

કચ્છના રાજાબાવા પ્રાગમલજી ત્રીજાના નિધન બદલ દુઃખની લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગાંધીનગર : કચ્છના હિતની સદૈવ ચિંતા કરતાં મહારાવ રાજાબાવા પ્રાગમલજી ત્રીજાનું આજે 85 વર્ષની વયે દુઃખદ અવસાન બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ સદગતના દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

(6:52 pm IST)