Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય: રાજયના નાગરિકોને આકસ્મિક સારવાર માટે નવી ૯૦ એમ્બ્યુલન્સ ખરીદાશે:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

૭૫ એમ્બ્યુલન્સ ૧૦૮ સેવા માટે અને ૧૫ એમ્બ્યુલન્સ જનરલ હોસ્પિટલોને ફાળવાશે

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત સારવાર પુરી પાડવા માટે નવી ૯૦ એમ્બ્યુલન્સ ખરીદવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
  તેમણે ઉમેર્યુ કે,રાજય સરકારના આરોગ્ય વિભાગના ઉપયોગ માટે ખરીદવામાં આવનાર આ નવી ૯૦ એમ્બ્યુલન્સ પૈકી ૭ પ એમ્બ્યુલન્સ ૧૦૮ની સેવાઓ માટે તથા ૧૫ એમ્બ્યુલન્સ રાજયની જનરલ હોસ્પિટલોને ફાળવવામાં આવશે.જેના પરિણામે દર્દીઓને અપાતી આરોગ્ય સેવામાં વધારો થશે.

(6:53 pm IST)