Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

એકતા ઉત્સવ અંતર્ગત વિરમગામ નગરપાલિકા થી મુનસર દરવાજા સુધી યુનિટી સાયકલ રેલી કાઢવામાં આવી

સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી 31મી ઓક્ટોબર દેશભરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવાય છે

 

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી 31મી ઓક્ટોબર ભારતભરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવાય છે. એકતા દિવસની ઉજવણીના અનુસંધાને સમગ્ર દેશમાં ઓક્ટોબર માસનું અંતિમ અઠવાડિયું 'એકતા ઉત્સવ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે વિરમગામ નગરપાલિકા ખાતેથી યુનિટી સાયકલ રેલી દ્વારા એકતાનો સંદેશો  નગરજનજન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. વિરમગામ નગરપાલિકા ખાતેથી યુનિટી સાયકલ રેલીને પ્રાંત ઓફિસર ભાવેશભાઈ દવે દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યુનિટી સાયકલ રેલી એપીએમસી, ખોડીયાર મંદિર મુનસર દરવાજા થી વિરમગામ નગરપાલિકા ખાતે પરત ફરી હતી. યુનિટી સાયકલ રેલીમાં વિરમગામ પ્રાંત અધિકારી ભાવેશભાઈ દવે, મામલતદાર રણજીતસિંહ મોરી, ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડ, કાઉન્સિલર રઘુભાઈ અલગોતર સહિત સરકારી અધિકારીઓ કર્મચારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 28મી ઓક્ટોબરે યુનિટી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 29 મી ઓક્ટોબરે યુનિટી બાઈક રેલી યોજાશે.‌ 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો‌ બાદ રાષ્ટ્રીય એકતાનો આ ઉત્સવ ઉજવવા સૌ નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

(12:17 pm IST)