Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ગજબની હવા ચાલી રહી છે, ગુજરાતમાં ઝાડું ચાલી રહ્યું છે:કેજરીવાલ

અમદાવાદ:વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને બરાબરની ટક્કર આપવા માટે કમર કસી રહ્યું છે. જેથી આપના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમના પ્રવાસની શરૂઆત પંચમહાલથી શરૂ થઈ છે. કેજરીવાલે પંચમહાલમાં આજે એક ભવ્ય સભાને સંબોધી હતી. મોરવા હડફમાં સભાને સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. 

અરવિંદ કેજરીવાલે પંચમહાલમાં આઈ લવ યુ - કહીને જનમેદનીમાં સંબોધન કર્યું હતું. કેમ છો? મજામાં... કહીને ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે આઈબીને ગુજરાતમાં મોકલી છે. પણ આઈબીનો રિપોર્ટ છે કે ગુજરાતમાં આપની સરકાર બને છે અને 90ની આસપાસ સીટો આવે છે. પરંતુ હું તમને વિનંતી કરું છે કે તમારે એક કામ કરવાનું છે. એવો ધક્કો મારો કે 150 સીટો આવે. બધા રેકોર્ડ આ વખતે તોડી નાંખો. આમ આદમી પાર્ટીની ડિસેમ્બરમાં સરકાર બનશે. 

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગજબની હવા ચાલી રહી છે. ગુજરાતમાં ઝાડું ચાલી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે પરિવર્તન જોઇએ છે. ગુજરાત સરકાર ખૂબ ગભરાટમાં છે. 

કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ભાજપે ગુજરાતને લૂંટી લીધું છે. કેજરીવાલે ચલણી નોટના મુદ્દે ચર્ચા કરતા જણાવ્યું કે, ચલણી નોટ પર ગણેશજી અને લક્ષ્મીજીની તસ્વીર હોવી જોઈએ એવું મેં કહ્યું હતું. જેમાં ભાજપે આ બાબતે મને ખુબ ગાળો આપી. કોંગ્રેસે પણ ગાળો આપી. પરંતુ જનતા જવાબ આપે કે નોટો પર લક્ષ્મીજી અને ગણેશજીની તસ્વીર હોવી જોઈએ કે નહીં?

(5:29 pm IST)