Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

રાજ્યમાં કોરોના વિદાય ભણી : નવા 30 કેસ નોંધાયા : વધુ 60 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું :મૃત્યુઆંક 11.039 થયો :કુલ 12.65,182 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 4915 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 441 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 60 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,65.182 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે, અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,039 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.10 છે

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 4915 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,74.57.950 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 441 એક્ટિવ કેસ છે.જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 438 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 30 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8 કેસ, વલસાડમાં 6 કેસ, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 3-3 કેસ,નવસારી અને સુરતમાં 2-2 કેસ, અમરેલી, બનાસકાંઠા,સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો  છે

 

(8:15 pm IST)