Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

કોરોના ટેસ્ટિંગ-કોન્ટેકટ ટ્રેસિંગ વધારવા, કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત ધન્વંતરિ રથ શરૂ કરવા વિશેષ ભાર મુકાયો

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મહાનગરો અને જિલ્લાઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે મુખ્ય સચિવ પંકજ કુમારની સમીક્ષા બેઠક યોજાઇ ૅં દરેક જિલ્લા કલેકટરશ્રી અને મ્યુનિસીપલ કમિશનરશ્રીની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવશ્રીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી માર્ગદર્શન આપ્યું : માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કન્ટેન્ટમેન્ટ કવોરંટાઇન ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા દિવસભર પોલીસ વિઝીટ ઉપરાંત દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝીટ લેવા આદેશ ૅં રસીકરણને વિશેષ અગત્યતા આપીને બંને ડોઝની ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના

રાજકોટ તા.૨૮: રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ કુમારની અધ્યક્ષતામાં કોવિડ અંગે રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ અને જિલ્લાના કલેકટરશ્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી કોરોનાને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, વેકસીનેશન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કામગીરી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. રાજ્યના દરેક જિલ્લા કલેકટરશ્રી અને મ્યુનિસીપલ કમિશનરશ્રીની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવશ્રીએ કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્ય સચિવશ્રીએ મહાનગરોમાં કલેકટરશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉપર વિશેષ ભાર મૂકી તે સ્થળોની વિઝીટ અંગે સૂચના આપી હતી. માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યકિત કન્ટેન્ટમેન્ટ કવોરંટાઇન ભંગ ન કરે તેની ખાસ તકેદારી રાખવા અને દિવસભર સતત પોલીસ વિઝીટ કરાવવા સૂચના આપ્યાની સાથોસાથ દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝીટ લેવા આદેશ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ધન્વંતરિ રથ અને સંજીવની રથ શરૂ કરી રોજ-બરોજ મોનિટરિંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહિ, દરેક જિલ્લાઓમાં રસીકરણની કામગીરી અંગે વિગતો મેળવીને મુખ્ય સચિવશ્રીએ વધુને વધુ રસીકરણ કેમ્પનું આયોજન કરી બંને ડોઝની ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે જે પગલાં લેવાઇ રહ્યાં છે તેની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, ભ્ભ્ચ્ (પર્સનલ પ્રોટેકટ ઇકિવપમેન્ટ) , સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સચિવશ્રી લોચન સહેરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:15 pm IST)