Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ઇક્વાડોરની જેલમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 44 કેદીઓના મોતથી અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: ઇક્વાડોરની એક જેલમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૪૪ કેદીઓનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના પહેલા એક અન્ય જેલમાં આવા જ પ્રકારની થયેલી હિંસામાં ૨૦ કેદીઓનાં મોત થયા છે. ગૃહ પ્રધાન પેટ્રિકિઓ કેરિલોઓે જણાવ્યું છે હતું કે સેન્ટો ડોમિંગો સ્થિત બેલાવિસ્ટા જેલમાં કેટલાક કેદી અન્ય કેદીઓ પર હુમલો કરવાના ઇરાદાથી પોતાના રૃમમાંથી બહાર નીકળી આવ્યા હતાં. પ્રધાનના જણાવ્યા અનુસાર જે કેદીઓના મોત થયા છે તેમના પર ચાકુથી હુમલા કરવામાં આવ્યા હતાં. મૃતકોના સંબધીઓને ંમૃતદેહો પોતાના વતનમાં લઇ જવામાં મદદ કરવામાં આવશે. અધિકારીઓએજણાવ્યું છે કે હુમલા દરમિયાન ૨૨૦ કેદી ભાગી ગયા હતાં. જેમાંથી ૧૧૨ લોકોને ફરીથી પકડી લેવામાં આવ્યા છે. માનવાધિકાર જૂથ એમનેસ્ટી ઇન્ટરનેશનલે માર્ચમાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે ૨૦૨૦માં ઇક્વાડોરની જેલોમાં થયેલી હિંસક અથડામણોમાં ઓછામાં ઓછા ૩૧૬ કેદીઓનાં મોત થયા હતાં. જેમાંથી ૧૧૯નાં મોત એક સાથે સપ્ટેમ્બર, ૨૦૨૦માં થયા હતાં.

 

(7:02 pm IST)