Gujarati News

Gujarati News

News of Thursday, 30th December 2021

ચાર ખાદ્યપદાર્થો ખાવાથી આંખના નંબર જતા રહે

આંખ માટે વિટામીન એ થી ભરપુર ફૂડ ખાવુ : વિટામીન-સી થી ભરપુર ખાદ્યપદાર્થો એન્ટી ઓકસીડેન્ટથી ભરપુર હોય છે, આ આંખોે બહારથી નુકશાનથી બચાવે છે

નવી દિલ્હી,તા.૩૦: જો તમે નબળી આઈ સાઈટની સમસ્યાથી જજૂમી રહ્યા છો તો ડાયેટમાં આ ૩ વિટામીન્સથી ભરપુર વસ્તુઓને સામેલ કરો. આનાથી તમારા આંખની રોશની વધશે અને ચશ્માના નંબર જતા રહેશે. નબળા વિઝનનીની સમસ્યા આજે ઓછી ઊંમરના લોકોને પોતાનો શિકાર બનાવે છે જેના કારણે નાની ઉમરમાં જ ચશ્મા આવી જાય છે. વિટામીન Aથી ભરપુર ફુડ આંખો માટે ફાયદાકારક હોય છે. વિટામિન Aમાં Rhodopsin હોય છે.

આ એક એવું પ્રોટીન છે. જે તમારી આંખોને ઓછા પ્રકાશમાં પણ જોવા માટે મદદ કરે છે. આ તમારી આઈસાઈટ વધારવામાં મદદ કરે છે.  ગાજર, બટાકા અને લીલા રંગના પત્તા વાળા શાક ખાવાથી આંખોની રોશની સારી થાય છે. વિટામીન B1 થી E વિટામીન વાળા ખાદ્યપદાર્થો ખાવાથી આંખોને ઓછો સ્ટ્રેસ પડે છે. આંખો કોરી પડવાની અને આંખોમાં સોઝા આવવાની સમસ્યા ઓછી રહે છે.

વિટામીન E પણ આંખો માટે જરૂરી છે આ માટે વટાણા, કાજૂ, બદામ ખાવી જોઈએ. વિટામીન Cથી ભરપુર ખાદ્યપદાર્થો જેવા કે ખાટા ફળો આ ખાટા ફળો એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. આ આંખોને બહારથી થતા નુકસાનથી બચાવે છે. 

લીંબુ, સંતરા અને દ્રાક્ષમાં ભરપુર C વિટામીન હોય છે. આંખોને સારી રાખવા માટે ઓમેગા-૩થી ભરપુર ખાદ્યપદાર્થો ખાવા જોઈએ. ઓમેગા-૩ ખાદ્યપદાર્થોમાં વિટામીન ઈ ની માત્રા હોય છે. આ ઊંમર વધવાની સાથે થતા ડેમેજથી બચવામાં મદદ કરે છે. આ માટે આહારમાં માછલી, ચિયા, સીડ્સ અને ફ્લેક્સ સીડ્સનો ખાવા જોઈએ.

(3:53 pm IST)