Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

અલીગઢ રેલ્વેની બેદરકારી :મુસાફરના ગરદનની આરપાર નીકળ્યો લોખંડનો સળિયો :દર્દનાક મોત

નીલાંચલ એક્સપ્રેસ ગાડીના સેકન્ડ કોચની સીટ નંબર 15 પર બેસીને મુસાફરી કરી રહેલા એક મુસાફરના ગરદનમાં એક લોખંડની રૉડ ઘુસી જતા મૃત્યુ 

અલીગઢ રેલ્વેની બેદરકારીથી એક દૂર્ઘટના બની ગઇ છે. કોચમાં બેઠક પર બેઠેલા મુસાફરની ગરદનમાં થઇને લોખંડની રૉડ આર-પાર નીકળી ગઇ હતી. જે બાદ ઘટનાસ્થળે જ મુસાફરનું મોત થયુ હતુ.

અલીગઢ જિલ્લાના સોમના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર તે સમયે એક મોટી દૂર્ઘટના થઇ હતી, જ્યારે નીલાંચલ એક્સપ્રેસ ગાડીના સેકન્ડ કોચની સીટ નંબર 15 પર બેસીને મુસાફરી કરી રહેલા એક મુસાફરના ગરદનમાં એક લોખંડની રૉડ ઘુસી ગઇ હતી જેને કારણે તેનું મોત થયુ હતુ.

બનાવની જાણ થતા જ આરપીએફ, સીઆરપીએફ અને રેલ્વેના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને મૃતકના શબને લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આરપીએફના સીઓ કેપી સિંહનું કહેવુ છે કે અલીગઢ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર નીલાંચલ એક્સપ્રેસ આશરે 9.30 વાગ્યે આવી હતી. સૂચના મળી હતી કે જનરલ કોચમાં કોઇ યાત્રીને ઇજા થઇ છે. જે બાદ આરપીએફ અને જીઆરપી સાથે રેલ્વે કર્મચારી ત્યા પહોચ્યા હતા. જ્યા એન્જિન પછીના કોચમાં સીટ નંબર 15 પર એક મુસાફરની ગરદનમાં એક રૉડ ઘુસી ગઇ હતી.

(6:59 pm IST)