Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રામમંદિરના ભુમીપુજનમાં અયોધ્યા કેસના પક્ષકાર ઇકબાલ અન્સારીને આમંત્રણ મળ્યું

વડાપ્રધાન મોદી સાથે અતિથિ વિશેષ તરીકે RSS પ્રમુખ મોહન ભાગવત પણ ભાગ લેશે

  નવી દિલ્હી : રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનની તૈયારી થઇ ગઈ છે. ત્યારે આ કાર્યક્રમ માટે મહેમાનોને આમંત્રણ પહોંચી ગયું છે. અયોધ્યા કેસમાં પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ અંસારીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ આમંત્રણ પત્રિકામાં લખ્યું છે કે પ્રધાન મંત્રી  મોદીની સાથે અતિથિ વિશેષ તરીકે RSS પ્રમુખ મોહન ભાગવત પણ ભાગ લેશે

   ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટએ ભુમીપુજન થવાનું છે. જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ત્યારે ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને ભાજપના કેટલાક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેના લીધે ઉમા ભારતીની ચિંતામાં વધારો થયો છે.

(12:08 pm IST)