Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

કેદારનાથમાં અમદાવાદના હરિભાઈ બોયાની સહિત ચાર યાત્રાળુઓના હાર્ટ એટેકથી મૃત્યુ: ચારધામ યાત્રામાં મૃત્યુઆંક ૧૨૨ ઉપર પહોંચ્યો: સૌથી વધુ મૃત્યુ હાર્ટએટેકથી થયા

રુદ્રપ્રયાગ: ચારધામ યાત્રાના રૂટમાં કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં સૌથી વધુ યાત્રિકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા છે.

કેદારનાથમાં હાર્ટ એટેકથી  આજેચાર યાત્રીઓના મોત થયા છે, આ યાત્રીઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશથી ચાર ધમની યાત્રા પર આવ્યા હતા. આ સાથે ચારધામ યાત્રામાં ૧૨૨ યાત્રાળુઓના હૃદયરોગથી મૃત્યુ નિપજયા છે

આજે શુક્રવારે વધુ ચાર યાત્રાળુઓના મોત થયા બાદ કેદારનાથમાં મૃત્યુ આંકડો ૫૮ પર પહોંચી ગયો છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે કેદારનાથ ધામ જઈ રહેલા નાગપુર (મહારાષ્ટ્ર)ના રહેવાસી આદિત્ય અનંત (ઉ.૩૧)ની તબિયત અચાનક બગડતાં તેને સોનપ્રયાગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.  જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જ્યારે, અમદાવાદ (ગુજરાત)ના રહેવાસી બોયાની હરિભાઈ (ઉ.૬૩) અને માલેગાંવ (મહારાષ્ટ્ર)ના રહેવાસી દિલીપ ઐયર (ઉ.૩૨)નું કેદારનાથ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું

 

(10:38 pm IST)