Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

જય શ્રી રામ....ના નાદ સાથે ૨૫ ઓકટોબર ૧૯૯૦ના દિવસે સોમનાથથી રથયાત્રાનો પ્રારંભ થયેલો : તે સમયે નરેન્દ્રભાઈ ગુજરાત ભાજપના પદાધિકારી હતા

ભાજપના તત્કાલીન અધ્યક્ષ શ્રી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૦ના સોમનાથથી રથયાત્રાનો પ્રારંભ થો હતો ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાત ભાજપના પદાધિકારી હતા. નરેન્દ્રભાઈએ રથયાત્રાના પ્રારંભ પહેલા આયોજીત સભામાં આરએસએસના પૂર્વ સરસંઘચાલક બાલાસાહેબ દેવરસ, કથાકાર મોરારીબાપુ અને અમરદાસ ખારાવાલાના સંદેશનું વાંચન કર્યુ હતું. નોંધનીય છે કે અડવાણીજીની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.

(3:49 pm IST)