Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

પંજાબમાં પરાળી સળગાવવાનું ન રોકી શકયાઃ કેજરીવાલનો એકરાર

નવી દિલ્‍હી,તા. ૪ :  દિલ્‍હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાખ સ્‍તરે છે ત્‍યારે મુખ્‍યમંત્રી કેજરીવાલે જણાવેલ કે આ ફકત રાજધાનીની જ નહીં પણ સંપૂર્ણ ઉત્તરભારતની સમસ્‍યા છે. પંજાબના સીએમ ભગવંત માન સાથેની પ્રેસ કોફરન્‍સ દરમિયાન કેજરીવાલે આરોપ-પ્રત્‍યારોપનો સમય ન હોવાનું પણ જણાવેલ. તેમણે નરેન્‍દ્રભાઇને અપીલ કરેલ કે તેઓ આગળ આવી પરાળી ઉપર ઠોસ પગલા લે. તેમણે પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાનો સ્‍વીકાર કરતા કહેલ કે, માન સરકારને હજી ૬ મહિના જ થયા છે. આવતા વર્ષ સુધીમાં તેના ઉપર નિયંત્રણ લઇ લેવાશે.

(4:29 pm IST)