Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ઈશુદાન ગઢવીનું મુખ્યમંત્રી પદ માટે નામ જાહેર થયા બાદ ગોપાલ ઈટાલીયાએ કહી દિલની વેદના

ગોપાલ ઈટાલીયા કંઈક એવું બોલી ગયા તેમની જીભ લપસી કે મનની વાત મોઢા પર આવી ગઈ ?: લોકોમાં અનેકવિધ ચર્ચા

આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો જાહેર કર્યો છે. જેમાં ઈશુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલે જાહેર કર્યા હતા. પરંતુ આ પ્રસંગે ગોપાલ ઈટાલીયા કંઈક એવું બોલી ગયા જેને લઈને લોકોએ કહ્યું કે, તેમની જીભ લપસી કે મનની વાત મોઢા પર આવી ગઈ ?

મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે આમ આદમી પાર્ટીએ મહાસર્વેમાં સૌથી વધુ મત મેળવનાર ઈશુદાન ગઢવીનું નામ જાહેર કર્યું હતું. જોકે આ સર્વેમાં ઈશુદાન ગઢવી બાદ વધુ વોટ ગોપાલ ઈટાલીયાને મળ્યા છે. અને છેલ્લા કેટલાંક દિવસથી અટકળો પણ ચાલી રહી હતી કે મુખ્યમંત્રી પદ માટે AAP માંથી ગોપાલ ઈટાલીયા અથવા ઈશુદાન ગઢવીનું નામ જાહેર થઈ શકે છે. જેને પગલે આજે ઈશુદાન ગઢવીનું નામ જાહેર થતાં ગોપાલ ઈટાલીયા તેમને અભિનંદન આપતા સમયે કંઈક ગજબ બોલી ગયા હતા

પોતાના વક્તવ્ય દરમિયાન ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, “એવુ નથી કે આજે ઈશુદાનભાઈને જનતાએ પસંદ કર્યા છે એટલે વખાણ કરવાનો મોકો છે. આજે મારા દિલની વેદના કહું છું......મારા દિલની જે લાગણી છે કે ઈશુદાનભાઈ જે રીતે ગુજરાતની અંદર સંઘર્ષ કરી રહ્યા છે જનતા માટે લડી રહ્યા છે. જનતા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. આજે જનતાએ તેમને ખુબ પસંદ કરી અને ગુજરાતનું નેતૃત્વ કરવાની તક આપી છે.” ગોપાલ ઈટાલીયા આ નિવેદન સમયે "દિલની લાગણી"ના સ્થાને "દિલની વેદના" શબ્દ બોલી ગયા હતા. જેને પગલે સોશિયલ મીડિયા પર તેમનો આ વિડીયો વાયરલ થયો છે.

 

(9:31 pm IST)