Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

કર્ણાટકમાં ૧૫૦ ડોગીને જીવતા જ દફનાવી દીધા

શિવમોગા, તા.૯: કર્ણાટકના શિવમોગામાં બનેલી એક આઘાતજનક ઘટનામાં કેટલાક બદમાશોએ કથિત રીતે ૧૫૦ જેટલા ડોગીને જીવતા દફનાવી દીધા હોવાનું પોલીસનાં સૂત્રોએ ગઈ કાલે જણાવ્યું હતું. રાતના સમયે સતત ડોગીના ભસવાનો આવી રહેલો અવાજ અચાનક બંધ થઈ જતાં સ્થાનિકોને કશું અજુગતું બન્યાની શંકા થઈ હતી. બદમાશોએ ડોગીને તમ્માદહિલી વન વિસ્તારમાં દાટયા હતા.

(4:40 pm IST)